ઇતિહાસ
ફેરફાર કરો
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ભૂકંપથી ભુજ શહેરના મોટા ભાગના વિસ્તારો વિખેરાઇ ગયા જેમાં ૧૮૨૪માં સ્વામિનારાયણ દ્વારા બંધાવવામાં આવેલ જુનું શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ પણ હતું. તેને બદલેે બનાવેલ નવું મંદિર ફક્ત આરસ અને સોનાથી બનેલું છે. સ્વામિનારાયણની મૂર્તિ માટેનું સિંહાસન, મંદિરના ગુંબજ અને દરવાજા સોનાના છે જ્યારે થાંભલા અને છત આરસની બનેલી છે.[૧] મૂળ કેન્દ્રિય દેવતા નર નારાયણ અને હરિકૃષ્ણના રૂપમાં સ્વામિનારાયણનીની મૂર્તિઓ, રાધા કૃષ્ણ, સ્વામિનારાયણ ઘનશ્યામ ના રૂપમાં અને સુખ શૈયા અને અન્યના સાથે જૂની મંદિરથી નવા મંદિરમાં ખસેડવામાં આવી હતી. [૩]
નવું મંદિર 5 acres (20,000 m2) જમીનમાં ૧ અબજ ભારતીય રૂપિયા (૧૦૦ કરોડ) ના ખર્ચે બનાવવામાં આવ્યું. આરસથી બનાવેલ, છત અને જટિલ કોતરણીઓ વાળા સ્તંભો સૌથી ખર્ચાળ મંદિરને શણગારે છે જે તાજેતરમાં ભારતના ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવેલા છે.[૪]
મંદિરના ઉદઘાટન સમારોહમાં યુનાઇટેડ કિંગડમ અને આફ્રિકાના વિવિધ ભાગો સહિત વિદેશી લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ હોટેલિયર્સ એસોસિએશનના સભ્યના અંદાજ મુજબ, ઓક્ટોબર, ૨૦૦૯ સુધીમાં, ભુજમાં હોટલના ૭૫% રૂમો તે સમયગાળા માટે બુક કરાયા હતા, જે દરમિયાન ઉદઘાટન સમારોહ યોજાનાર છે.[૧] વાહનોનો ધસારો, જ્યુબિલી ગ્રાઉન્ડ અને ઘાસડા ગ્રાઉન્ડ, ભુજમાં બે મોટા મેદાનનો ઉપયોગ પાર્કિંગની વ્યવસ્થા માટે કરવામાં આવશે. મંદિરના અધિકારીઓ આ સમયગાળા દરમિયાન આશરે ૫૦૦,૦૦ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે.[૪]
'સહજાનંદ' નામની સ્વામિનારાયણના જીવન અને ઉપદેશો પરની પ્રથમ 3-ડી ચલચિત્ર મંદિરના ઉદઘાટન સમારોહના ભાગ રૂપે બતાવવામાં આવી હતી. એસ3ડી કેમેરાથી છાયાચીત્રિત, તે ભારતમાં આ પ્રકારની પ્રથમ ચલચિત્ર હોવાનો દાવો કરવામાં આવે છે.[૫]